દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હીપેટાઈટીસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લીવરએ લોહીમાંથી ઝેરી તત્વોને સાફ કરવાની સાથે ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. જોકે આ રોગનો ભોગ બનેલા લોકોના લીવરમાં બળતરા સાથે લીવર ખરાબ સ્થિતિમાં બની જાય છે. આ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જેની સારવાર સામાન્ય દર્દીઓ માટે પણ ખૂબ ખર્ચાળ છે. ત્યારે આ રોગથી બચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
લિવર સાથે સંકળાયેલ આ રોગના ચેપને કારણે લીવરમાં સોજો આવે છે. આ ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે દર વર્ષે મૃત્યુની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 1.4 મિલિયન લોકો હેપેટાઈટીસ A થી પીડિત છે. શિકાર બનેલા લોકોના લીવરમાં સોજા આવી જાય છે અને વાયરલ ચેપને કારણે લોકો આ રોગના ભરડામાં આવી જતા હોવાનું તબીબો દવો કરે છે. મહત્વનું છે કે હેપેટાઈટીસમાં 5 પ્રકારના વાયરસ હોય છે, જેમ કે- A, B, C, D અને E. એમ પ્રકાર છે. આ રોગનું જોખમ ઘટાડવા માટે જન્મતાની સાથે જ બાળકને રસી આપવી જોઈએ.
આ રહ્યા લક્ષણો!
રોગ થવા પાછળના કારણની જો વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનથી થતી આ બીમારી અનેક કારણોને લીધે વકરી શકે છે. જેમાં હેપેટાઇટિસ દૂષિત ખોરાક અને પાણીના લીધે થાય છે. વધુમાં સંક્રમિત વ્યક્તિના ઈન્જેકશન ના ઉપયોગથી પણ આ જોખમ વધી શકે છે. તથા ભોગગ્રસ્તના લોહીના સંક્રમણમાં આવવાથી પણ આ રોગ વકરી શકે છે. લક્ષણોની વાત કરીએ તો હંમેશા થાક લાગવો ઉપરાંત ત્વચાનો રંગ પોળો પડવો! તથા આંખોનો સફેદ ભાગ પણ પીળો પડવો, ઉલટી થવા તથા ભૂખ ન લાગવા સહિત અનેક સમસ્યા જાગે છે.
આ ઉપરાંત પેટમાં દર્દ તથા સોજો અને માથામાં દુખાવો તથા ચક્કર આવવા તેમજ યુરીનનો રંગ બદલાવો અને અચાનક વજનમાં ઘટાડો નોંધાવો તથા લાંબા સમય સુધી તાવ આવવો સહિતના અનેક લક્ષણો જોવા મળે છે.