છેલ્લા ૧૫ વર્ષથી એક હતું શાસન અને છેલ્લા ૨૦ વર્ષથી સ્થાનિક ચૂંટણીમાં કોગ્રેંસનો દબદબો રહેલો છે.દરિયાપુર પોતાનો દબદબો ચાલુ રાખશે અથવા ભાજપનું સપનું દરિયાપુર જીતવાનું પૂરું કરી નવો ઇતિહાસ રચશે.તો એક તરફ આમ આદમી પાર્ટી જે થોડા દિવસમાં લોકોની વચ્ચે પોતાની લોકપ્રિયતા સાબિત કરી બાજી મારશે.અથવા કોગ્રેંસના x કાઉન્સિલર હસનલાલા પઠાણને AMIM ટિકિટ આપિમેદાન મારવાનું કામ કરશે.
કોગ્રેંસ અત્યારની પરિસ્થિતિ જોતા ચાલુ ધારાસભ્ય ગ્યાસુદીન શેખને ફરી ટિકિટ આપી શકે છે. પરંતુ યુવાનોને ૬૦% ટિકિટ આપવાનું વચન આપી કોગ્રેંસના યુવાન નેતા શાહનવાઝને આપે એવા સંકેત મળી રહ્યાં છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ૧૬ જણ લડવાની દાવેદારી નોંધાવી છે ગઈ સ્થાનિક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર હાફિસ સરફરાઝ જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.એને આપી એક અનુભવી ચૂંટણી લડેલા નેતાને આપી જીતવાનો પ્રયાશ કરશે તો ભાજપ દરિયાપુરમાં ઇતિહાસ રચવા અને રાજકીય પરિસ્થિતિને બીજા ઉમેદવાર જાહેર થાય એની રાહ જોઈ છેલ્લી ઘડીયે ધાર્મિક અથવા વ્યાપારી જગતનું મોટું નામ મેદાનમાં ઉતારીને ઉલટફેર કરવાનાં મૂળમાં છે. ભાજપ અત્યારે બે નામ ઉપર ચર્ચા ચાલી રહી છે.જે અગાઉ કરેલ મુજબ ઉદ્યોગ અથવા ધાર્મિક સંસ્થાથી જોડેલ છે.ભાજપ છેલ્લી ઘડીએ પોતાનાં પત્તા ખોલશે.
કોગ્રેંસની લડાઈ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની સંખ્યા જોઈ ભાજપ રાજકીય લાભ લેવાનાં મૂડમાં છે. જો કોગ્રેંસ ગ્યાસુદીન શેખને ટિકિટના આપે તો દરિયાપુરના રાજકારણમાં ઉથલપાથલના સંકેત મળી રહ્યાં છે. જેનો લાભ આમ આદમી પાર્ટી લઇ રહી છે.