ભારત અને પાકિસ્તાનની વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપના મહત્વના મુકાબલાનું રીશેડ્યુલ થઈ શકે છે. હકીકતે આ મુકાબલો નવરાત્રેના પહેલા દિવસે થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં આ સમયે મોટાપાયે ગરબાનું આયોજન થાય છે. એવામાં સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને ટૂર્નામેન્ટના શેડ્યુલમાં ફેરવવાની સલાહ આપી છે.
જો ભારત-પાકિસ્તાનની વચ્ચે થતા વિશ્વ કપના આ મેચની તારીખમાં કોઈ ફેરફાર ન થયો તો પછી તે ફેંસની મુશ્કેલીઓ વધી શકે છે. જેમણે આ મેચ માટે પોતાના ટ્રાવેલ પ્લાન ફાઈનલ કરી લીધા છે. કારણ કે તેમને ફરીથી બધી પ્લાનિંગ કરવી પડશે.
હજારો ક્રિકેટ ફેંસ પહોંચશે અમદાવાદ
BCCIના એક ખાસ અધિકારીએ જણાવ્યું કે, “અમે પોતાની પાસે હાજર વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને જલ્દી જ નિર્ણય લેવામાં આવશે અમે સુરક્ષા એજન્સિઓને જણાવ્યું છે કે IND Vs PAK જેવા હાઈ-પ્રોફાઈલ મેચ, જેના માટે હજારો ક્રેકિટ ફેંસે અમદાવાદ પહોંચવાની આશા છે. તેનાથી બચવું જોઈએ કારણ કે પોલિસ પહેલાથી જ નવરાત્રીની સુરક્ષા વ્યવસ્થામાં લાગેલી છે.”
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 મોટી મેચ
ગયા મહિનાના એન્ડમાં જ્યારે ICCએ ભારતમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી તો લગભગ 1 લાખની ક્ષમતા વાળા નરેન્દ્ર મોદી સ્ટોડિયમને ચાર પ્રમુખ મેચોની યજમાની મળી હતી.
તેમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ભારત પાકિસ્તાન મેચ, ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની મેચ અને વિશ્વ કપની ફાઈનલ છે. આ આયોજન 10 શહેરોમાં થશે. જ્યારે સેમીફાઈનલ મુંબઈ અને કોલકતામાં થશે.
આ વચ્ચે BCCI સચિવ જય શાહે મંગળવારે જ વિશ્વ કપ મેચોની મેજબાની કરતા રાજ્ય ક્રિકેટ સંઘોને 27 જુલાઈએ નવી દિલ્હીમાં એક બેઠકમાં ભાગ લેવા માટે એક ચિઠ્ઠી લખી છે. એવી જાણકારી અનુસાર આ મીટિંગમાં બોર્ડ સદસ્યોને અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચ માટે સુરક્ષાની જાણકારી આપવામાં આવી શકે છે અને આ મેચ માટે કોઈ તારીખ નક્કી કરી શકાય છે.