દેશભરમાં 21 જૂનના રોજે બુધવારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમાં સૌથી ખાસ સેનાની તૈયારી છે. તે દેશના જમીન અને દરિયાઇ સરહદોની ફરતે 106થી વધુ સ્થળોએ યોગ સેશન હાથ ધરીને ‘ભારતમાલા’ની રચના કરશે. સેનાના જવાનો અરૂણાચલ પ્રદેશમાં ડોંગ ખીણથી રાજસ્થાનના લાંગેવાલાના રેતાળ વિસ્તારોથી લઇને વિવિધ સરહદે સ્થળોએ યોગની પ્રવૃત્તિઓ હાથ ધરશે. ઉત્તરના સિયાચીન અને તમિલનાડુના કન્યાકુમારી તેમજ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો પર પણ સેનાના જવાનો યોગ કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સ્વદેશમાં બનાવાયેલા એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત પર નેવીના જવાનો સાથે યોગ કરશે. અગ્નિવીરો સહિત સેનાના સશસ્ત્ર જવાનો પણ ઇવેન્ટમાં હાજરી આપશે. સુપ્રીમ કોર્ટમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ આ સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે. જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત સુપ્રીમના અન્ય જજો, અધિકારીઓ અને સ્ટાફના સભ્યો પણ યોગ એન્ડ રિક્રિએશન હોલમાં યોજનારા ઇવેન્ટમાં હાજર રહેશે.યોગને જીવનશૈલી બનાવી આરોગ્ય વિજ્ઞાન તરીકે સ્વીકારો