રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુઓ
રક્ષાબંધનને દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઈએ. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે. તમારી પાસે ચાંદીની થાળી ના હોય તો સામાન્ય થાળી લો અને તેમાં ઓમ અથવા સ્વસ્તિક બનાવો. હવે તે થાળીમાં અક્ષત, રોલી, ચંદન, દહીં અને દીવો મુકો. થાળીમાં તિલક પણ હોવો જોઈએ. જે શુભકારી માનવામાં આવે છે. ત્યારપછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો. હવે તેને મિઠાઈ ખવડાવીને આરતી ઉતારો. આ પ્રકારે કરવાથી ભાઈને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને તમામ સંકટમાંથી મુક્તિ મળે છે.
aaj nu gujarat