વિશ્વની અંદર ઘણાં બધાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક કાનૂન લાગુ છે ભારતમાં પણ લાગુ થાય તેવી સંભાવના .
- કયા દેશોએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે?
યુનિફોર્મ સિવિલ કોડ ઘણા દેશોમાં લાગુ છે. ઉત્તરાખંડમાં લાગુ થયા બાદ સમગ્ર ભારતમાં લાગુ થવાની સંભાવના છે. અમેરિકા, આયર્લેન્ડ, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત જેવા દેશો વિશ્વના એવા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યાં UCC હેઠળના કાયદા તમામ નાગરિકો માટે સમાન છે.
ભારત વિશ્વની અંદર એક માત્ર એવો દેશ છે જેમાં બધાં ધર્મ, જ્ઞાતિ ઉપરાંત વિવિધ સંપ્રદાયના લોકો રહે છે. આટલી બધી વિવિધતા હોવાનાં કારણે બધાને પોતાનાં અલગ–અલગ કાયદાની જોગવાઈ આપવામાં આવી છે. ભારતમાં દર ૫૦૦ મીટરે ભાષા બદલાઈ જતી હોય છે.
દેશમાં અલગ–અલગ ધર્મો માટેના અલગ–અલગ અંગત કાયદાઓ દેશની અદાલતોમાં પડતર કેસોમાં વધારો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પણ સમયાંતરે UCCના અમલીકરણ પર ટિપ્પણી કરતી રહી છે. તેથી જ દેશમાં પણ UCC ની માંગ સમય-સમય પર કરવામાં આવી રહી છે.
સ્વતંત્રતા: સમાન નાગરિક સંહિતાના પ્રથમ ઉદ્દેશોમાંનો એક એ છે કે તમામ નાગરિકો માટે સમાનતા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, તેમની ધાર્મિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના. જો કે, યુસીસી માટે તમામ ધર્મ ને ઓળખ અને સાંસ્કૃતિક પ્રથાઓનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ રહેશે.
યુનિફોર્મ સિવિલ કોડ એટલે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક કાયદો. કોઈપણ ભારતીય કોઈપણ ધર્મ કે સમુદાયનો હશે, તેના માટે એક જ કાયદો હશે. જો આ અમલમાં આવશે, તો લગ્ન, બાળક દત્તક, છૂટાછેડા અને ઉત્તરાધિકાર સંબંધિત કાયદા બધા માટે સમાન હશે.જેથી કાનૂન પ્રક્રિયામાં સરળતા થાય અને ઝડપથી નિકાલ આવે, એક અનુમાન પ્રમાણે UCC ની સીધી અસર લગ્ન ,છુટાછેડા, દત્તક લેવાં તથા મિલ્કતની બાબતમાં અને અલગ- અલગ ધર્મમાં નાની વસ્તુમાં જે કાયદાઓ વિબભિન્ન પડે છે એ કાયદાઓને એક જ છત્રછાયામાં લેવામાં આવે તેવું વ્યક્ત કરવામાં આવે છે.
U.C.C નો કાયદો અમલ માં આવશે તો હિંદુ, મુસ્લિમ , સીખ , ઈસાઈ, તમામ ધર્મ માટે એક કાયદાને અસર અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
છૂટાછેડાઃ છૂટાછેડા માટે હિન્દુ મેરેજ એક્ટના નિયમોનું પાલન કરવામાં આવે છે, પરંતુ આ એક્ટમાં પણ લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે જ છૂટાછેડા લઈ શકાય છે. કોઈપણ સમસ્યા વિના છૂટાછેડા લેવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં UCC લાગુ થયા બાદ નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
મિલકતનું વિતરણઃ હાલમાં વચ્ચે મિલકતની વહેંચણી અને વારસદારોને આપવામાં આવતા લાભો તેમના અંગત કાયદા પર આધારિત છે. આ નિયમો ફેરફારને પાત્ર છે. જો કે નિયમોમાં કેટલો ફેરફાર થશે તે UCCબાદ ખબર પડશે.
ધાર્મિક પ્રથાઓ: શીખ ધર્મમાં વિશિષ્ટ ધાર્મિક પ્રથાઓ અને રિવાજો છે જે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માં સીધા સંબોધવા માટે જટિલ હશે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહેશે કે UCC તમામ સમુદાયોની ધાર્મિક લાગણીઓ અને પ્રથાઓને કેવી રીતે જુએ છે જેથી તેમના સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોને જાળવી શકાય.
હાલમાં તો સરકારે UCC માટેની કમિટીની રચના કરી માર્યાદિત સમયમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ ઉપરાંત વિવિધ સંપ્રદાયના લોકો પાસેથી અભિપ્રાય લઇ એક સમાન નાગરિક બનાવવાની પહેલ કરી છે જેથી દેશમાં રહેનાર લોકોને મનદુઃખના થાય અને દેશમાં એક કાનુન ની વ્યવસ્થા થાય એનું ધ્યાન કરવામાં સરકાર તરફથી આવી રહ્યું છે. જેથી દેશમાં ન્યાય પાલિકામાં સરળતા આવે પેન્ડિંગ કેસોનો નિકાલ આવે અને ભારત દેશની અંદર વિશ્વશક્તિ તરફ આગળ વધે અને પોતાની અલગ ઓળખાણ ઉભું કરે તે હેતુથી UCC અમીકરણ થાય તે તરફ સરકાર આગળ વધે અને જોવાનું રહેશે કે આવનાર સમયમાં સરકાર ક્યાં કાયદાઓનું સંગઠન કરે અને ક્યારે UCC નો અમલ કરે છે તે જોવાનું રહશે.
Aaj Nu Gujarat
સાલીક મનસુરી
( લેખક, શાયર )