ગુરુને ભગવાન કરતા પણ ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે, જેઓ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો રસ્તો બતાવે છે. અષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી આ પૂર્ણિમાને વેદ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુની વિશેષ પૂજા કરતા અને યથાશક્તિ ગુરુદક્ષિણા આપે છે. આજે ગુરુ પૂર્ણિમા છે. 2 જુલાઈ 08:21 વાગ્યાથી ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ થઈ ગયો છે અને આજે સાંજે 05:08 વાગ્યા સુધી રહેશે.
આજે બ્રહ્મ યોગ અને ઈન્દ્ર યોગનું નિર્માણ થશે. સૂર્ય બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. બુધાદિત્ય યોગ આજે બપોરે 03:45 વાગ્યા સુધી રહે છે. ઈન્દ્ર યોગ આજે બપોરે 03:45 વાગ્યે શરૂ થશે અને આવતીકાલે સવારે 11:50 વાગ્યે પૂર્ણ થશે.
આ દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરો અને ત્યાર પછી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી પૂજાનો સંકલ્પ લો અને સ્વચ્છ જગ્યાએ સફેદ કપડું પાથરીને વ્યાસ પીઠનું નિર્માણ કરો. હવે ગુરુ વ્યાસની પ્રતિમા સ્થાપિત કરો અને તેમને રોલી, ચંદન, પુષ્પ, ફળ અને પ્રસાદ અર્પણ કરો. ગુરુ વ્યાસની સાથે સાથે શુક્ર દેવ અને શંકારાચાર્ય આદિ પુરુષોનું આહ્વાન કરો અને ”गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये” મંત્રનો જાપ કરો.
સનાતન ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવે છે. તેમણે મનુષ્યને વેદની શિક્ષા આપી હતી. ઉપરાંત તેમને શ્રીમદ્ભાગવત, મહાભારત, બ્રહ્મસૂત્ર, મીમાંસાની સાથે સાથે 18 પુરાણોના રચયિતા માનવામાં આવે છે. આ કારણોસર મહર્ષિ વેદવ્યાસને આદિગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુપૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ વિદ્યા અનુસાર તમારા કોઈ ગુરુ ના હોય તો ભગવાન વિષ્ણુને ગુરુ માનીને તમે તેમને નમન કરી શકો છો અને તેમને પ્રાર્થના કરીને ફૂલ પ્રસાદ અર્પણ કરો.
જે વિદ્યાર્થીઓ અભ્યાસ બાબતે ચિંતિત છે, તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતા પાઠ કરીને ગાયની સેવા કરવી જોઈએ
બિઝનેસમાં નુકસાન અને આર્થિક તકલીફ છે, તો આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને પીળુ અનાજ, પીળા વસ્ત્ર અને પીળા રંગની મિઠાઈનું દાન કરવું જોઈએ.