ક્રિકેટ હોય કે ફૂટબોલ આજકાલ બાળકો રમતની શરૂઆત પહેલા રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ સાથે જોવા મળે છે. આ નિયમ સૌપ્રથમ ફૂટબોલની રમતમાં શરૂ થયો હતો. બાદમાં ક્રિકેટ સહિત અન્ય રમતોમાં આ નિયમ દાખલ કરવામાં આવ્યો હતો.
રમત શરૂ થાય તે પહેલા આ બાળકો ખેલાડીઓના હાથ પકડીને મેદાનમાં પ્રવેશે છે. રાષ્ટ્રગીત દરમિયાન બાળકો ખેલાડીઓ સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળે છે. પરંતુ આવું શા માટે કરવામાં આવે છે. આ બાળકોને શું કહેવામાં આવે છે તેનો જવાબ ઘણા લોકો માટે એક કોયદા સમાન છે.
તેની પાછળ અનેક કારણો છે. મોટાભાગે આ બાળકો વિવિધ NGO અને અનાથાશ્રમોમાંથી આવે છે. જેઓ અનાથ કે ગરીબ હોય છે. આ રીતે સંસ્થાઓને ભંડોળ મળે છે અને બાળકોને પણ તેમના મનપસંદ સ્ટાર્સની હાજરીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત ભવ્ય ઇવેન્ટ જોવાની તક પણ બાળકોને મળે છે.
આ ઉપરાંત બાળકોનું મન સાફ હોય છે, તેમનામાં ઈર્ષ્યા હોતી નથી, તેઓ સરળતાથી મિત્રો બનાવી શકે છે. તો શાંતિનો સંદેશ આપવા માટે ખેલાડીઓએ પણ પારદર્શક રીતે ક્રિકેટ રમવું જોઈએ, વિરોધીઓને મિત્ર સમજીને તેમની સાથે રમત રમવી જોઇએ કારણ કે બાળકો ત્યાં જ રહે છે.
રાષ્ટ્રગીત દરમિયાન બાળકોને ગ્રાઉન્ડમાં સાથે લઇને આવવામાં આવે છે તે બતાવવા માટે કે બંને ટીમના ખેલાડીઓએ રમતના મેદાન પર સારા સંબંધો જાળવી રાખવા જોઈએ. રાષ્ટ્રગીત દરમિયાન બાળકો ખેલાડીઓ સાથે જે શબ્દો શેર કરે છે તે જ સંદેશ આપે છે.
અંતમાં દરેકને ઉત્સુકતા એ છે કે રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ સાથે મેદાનમાં રહેલા બાળકોને શું કહેવામાં આવે છે. જોકે તેમનું કોઇ ચોક્કસ નામ નથી, ઘણા તેમને ‘એસ્કોટ અથવા માસ્કોટ ચિલ્ડ્રન’ કહે છે.