દેશમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડના નેટવર્કનો વિસ્તાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને સમય સમય પર તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર પણ થાય છે. દેશના કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા અપડેટ ગાઈડલાઈન્સ જાહેરા કરી છે. આ નવા નિયમો બધા પ્રકારના કાર્ડ હોલ્ડર્સની સુરક્ષા અને સલામતી સેફ્ટી એક્સપેરિમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે પણ ક્રેડિટ-ડેબિટ કાર્ડ હોર્લડર્સ છો તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે.
ઈલેક્ટ્રોનિક કાર્ડ ટ્રાન્ઝેક્શન્સની તરફ વધારે સિક્યોર બનવા માટે આરબીઆઈએ બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સને એક ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રોસેસ દ્વારા જ આગળ વધવાના આદેશ આપ્યા છે. તેના હેઠળ કાર્ડહોલ્ડર્સને વધારાની વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેવું કે કોઈ યુનીક પિન કે વન ટાઈમ પાસવર્ડ દ્વારા જ તમારૂ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રીતે થઈ શકે છે.
કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન લિમિટ
RBIએ કાર્ડધારકોને એક બીજી સુવિધા આપતા કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં સંશોધન કર્યું છે. કાર્ડધારક પિન એન્ટર કર્યા વગર 5000 રૂપિયા સુધીના કોન્ટેક્ટલેન્સ પેમેન્ટ્સ પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ફેરફાર દ્વારા RBIનો પ્રયત્ન રહેશે કે નાના ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવે અને તેમને સરળ બનાવી શકાય.