અખબારી યાદી
તા. ૧૯-૦૯-૨૦૨૨
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેંશન યોજનને નાબૂદ કરી રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેંશન યોજના લાગુ છે તેની જેમ જૂની પેંશન યોજના ગુજરાતમાં લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરાશે. કેન્દ્રની તાત્કાલિન કોંગ્રેસની યુપીએ સરકારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર આપવા માટે ‘મનરેગા’ યોજના લાગુ કરાઈ હતી તેવી જ રીતે રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં યુવાનોને રોજગારીની તકો મળે તે માટે ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’ લાગુ કરવામાં આવી છે જેમાં 100 દિવસની રોજગારીની ગેરેન્ટી આપવામાં આવી છે.તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર બનતા જ ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’લાગુ કરવામાં આવશે.
રાજસ્થાનમાં ગરીબોને ‘ઇન્દિરા રસોઈ યોજના’થકી 8 રૂપિયામાં ‘પોષણક્ષમ ભોજન’ 800થી વધુ વિસ્તારોમાં મળી રહ્યું છે.ગુજરાતમાં પણ કુપોષણને નાથવા અને ગરીબ વર્ગના લોકોને ‘પૌષ્ટિક ભોજન’ મળી રહે તે સુનિશ્ચિત કરવા ‘ઇન્દિરા રસોઈ યોજના’લાગુ કરાશે. આ ઉપરાંત તારીખ 5 સપ્ટેમ્બરનાં રોજ રિવરફ્રન્ટ ખાતે આદરણીય રાહુલ ગાંધીજીએ આપેલ આઠ વચનો જેમાં 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક, કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર, દરેક ખેડૂતનાં 3 લાખ સુધીનાં દેવા માફ, ગેસ સિલિન્ડર 500 રૂપિયે, યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા જેમાં 50% મહિલાઓ માટે અનામત, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયાંનું બેરોજગારી ભથ્થું, 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓ, કન્યાઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, સામાન્ય નાગરિકને 300 યુનિટ વીજળી બિલ માફ, સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનાં વચનોને લાગુ કરી ગુજરાતનાં તમામ વર્ગોનું સર્વસમાવેશી વિકાસ થાય તે સુનિશ્ચિત કરશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે માછીમારો- બોટ માલિકોને વાર્ષિક ૩૬ હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ, નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીન ને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી અને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી, પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૫૦ લાખનું આર્થિક પેકજ, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને છોડાવવા ઘનિષ્ટ પ્રયાસો, પરિવારને રૂ. ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ.૪૦૦ ની કુટુંબીજનોને સહાય તથા જેલ માં મૃત્યુ પામતા માચ્છીમારોને રૂ. ૧૦ લાખની સહાય સહિતની માછીમારો ઉત્થાન માટેની જૂની કોંગ્રેસની યોજનોને ચાલુ કરવામાં આવશે.
રાજીવ ગાંધી ખાતે આયોજિત પત્રકાર પરિસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડા, મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશી, રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા..
(ડૉ. મનિષ એમ. દોશી)
મુખ્ય પ્રવક્તા