નવો વ્યાજ દર 1 ઓગસ્ટથી લાગુ થશે. આની અસર નવા અને હાલના ગ્રાહકો પર પડશે. બન્ને માટે લોનના ઇએમઆઇમાં વધારો થશે અને તેમના મંથલી બજેટ પર પણ અસર પડશે. એચડીએફસીએ સ્ટોક એક્સચેન્જને શનિવારે વ્યાજ દરોમાં વધારાની જાણકારી આપી હતી. એચડીએફસીએ કહ્યું કે, એચડીએફસીએ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ વધાર્યો છે. આ એ જ દર છે જેના પર એડઝસ્ટેબલ રેટ હોમ લોન (એઆરએચએલ) બેંચમાર્ક હોય છે. તેમાં 0.25 ટકાનો વધારો કરાયો છે. નવા દરો 1 ઓગસ્ટ, 2022થી લાગુ થઇ જશે.
હાલના વધારા અગાઉ એચડીએફસીએ 9 જૂને આરપીએલઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. તે પહેલા 1 જૂને 0.5 ટકા, 2જી મેના રોજ 0.5 ટકા અને 9 મેનાh રોજ 0.30 ટકાનો વધારો કર્યો હતો. એફડીએફસી દ્વારા રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કરાયેલા વધારાને લીધે ગ્રાહકો માટે હોમ લોન વધુ મોંઘી બનશે અને ઇએમઆઇ પાછળ વધુ રકમ ખર્ચ કરવી પડશે.