ગત રોજ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ને રૂબરૂ મળી ને થરાદ વિધાનસભા ના પ્રાણ પ્રશ્નો જેમકે,
1.થરાદ વિધાનસભા ના 97 ગામો નો કમાન્ડ એરિયા માં સમાવેશ કરી, ખેડૂતો ને સિંચાઈ નું પાણી પૂરતા પ્રમાણમાં આપવા બાબત..
2.થરાદ વિધાનસભા ના રસ્તા કાચા માંથી પાકા બનાવવા બાબત..
3.નગલા,ડોડગામ અને ખાનપુર ગામો ના પુનઃવસન બાબતે..
4. નર્મદા મુખ્ય કેનાલ માંથી પાણી લીકેજ થવાના કારણે ભડોદરા, ભાપી,વામી ગામોમાં થતું નુકસાન અટકાવવા તથા ખેડૂતો ને થયેલ નુકસાન નું પાંચ વર્ષ નું વળતર ચૂકવવા બાબતે.
5.થરાદ વિધાનસભા ની સુજલામ- સુફલામ કેનાલ માં બારે માસ પાણી આપવા.
આ મુજબ ના પ્રાણ પ્રશ્નો બાબતે માન @CMOGuj ને રજૂઆત કરી, ખૂબ જ લાંબા સમય થી આમારી માંગણીઓ પૂર્ણ નથી થઇ, આગામી સમય માં જો અમારી માંગણીઓ પૂર્ણ ના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીસું.