મિત્રો આજે ફરી એક વાર ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિશે ચર્ચા નો દોર આગળ વધારી શું.
આપણે ભાગ 1 માં ઘણી બધી બાપુ ની વિશેષ કરી રાજકીય વાતો કરી.
આજ નું ગુજરાત ફરી આજે ભાગ 2 લઈ ને આવયુ છે.
ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે રાજકારણ માં ગરમાવો આવતો જાય છે.
ત્યારે જોવા જઈએ તો શંકરસિંહ વાઘેલા બાપુ વિશે આપણે ભાગ 1 માં વાત કરી ચૂક્યા છે કે તેઓ હવે પોતાના સ્વતંત્ર પક્ષ થી મેદાન માં ઉતરસે.
જ્યાર થી બાપુ એ જાહેરાત કરી છે પોતાની નવી રાજકીય પાર્ટી ની ત્યાર બાદ બાપુ એ હજી સુધી પોતાની નવી ટીમ કે નવા હોદેદાર જાહેર કર્યા નથી.
જોવા જઈએ તો બાપુ ની તાકાત નો ઉપયોગ સાચા સમયએ વિપક્ષ પાર્ટી ઓ કરી ના શકી કે પછી કોઈ બીજુ કારણ રહ્યું હોય.
પરંતુ જે રીતે ગુજરાત ચૂંટણી ને લઈ બાપુ હજી પોતાની પાર્ટી ને લઈ ને મેદાન મા આવયા નથી.
સૂત્રો દ્વારા માહિતી મુજબ બાપુ ના પુત્ર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ ની પણ ઈચ્છા રહી છે કોઇ મોટા વિપક્ષની પાર્ટી સાથે જોડાઈ ને 2022 ની ગુજરાત ની ચૂંટણી માં મેદાન માં ઉતરવું.
બાપુ 2022 માટે બ્રેક લગાવતા 2024 ની તૈયારી વધારે દેખાઈ રહી છે.
તેના ભાગ રૂપી બાપુ હમણાંજ તેલંગાણા ના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા નજર એ પડ્યાં હતાં .
આમ અચાનક બાપુ દિલ્લી મોટા રાજકીય વિરોધ પક્ષ ના નેતા ની મુલાકાત બધા ને ચોંકાવનારી છે.
ત્યારે બાપુ 2022 ની ગુજરાત ની ચૂંટણી માં નીવરૂતિ લઈ અને 2024 ની લોકસભા ની ચૂંટણી માં પોતાનો દમ બતાવા મન મક્કમ કર્યું હોય તેવું સ્પષટ દેખાઈ રહ્યું છે.
આવીજ રાજકારણ ની નાની મોટી વાતો ને જાણવા માટે જોડાયેલા રહો આજ નું ગુજરાત સાથે નમસ્કાર .