મુમતાઝ પટેલ ઘણા લાંબા સમય થી સામાજિક પ્રવૃતિ માં સક્રિય જોવા મળી રહ્યા છે.
અહમદ ભાઈ પટેલ નાં સ્વર્ગવાસ પછી મુમતાઝ પટેલ જાહેર જીવન માં આવયા હતા.
તેઓ ઘણી વખત કોંગ્રેસ પાર્ટી ના પ્રચાર માં પણ જોડાતા હોય છે.
ત્યારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મુમતાઝ પટેલ તેમના વતન અને દક્ષિણ ગુજરાત માં કોંગ્રેસ પાર્ટી ને મજબૂત કરવા સંપુણ પ્રયાસો કરી રહ્યા છે.
તેમના પ્રયાસો ને જોતા અહમદ પટેલ ના કામ કરવાની વિચાર શક્તિ અને તાકાત ની જલક મુમતાઝ પટેલ માં જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાત માં પ્રચાર માટે આવતા રાષ્ટ્રીય નેતાઓ ની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે.