પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
