1 એલચી
મોટાભાગના લોકો તેમના ભોજનમાં એલચીનો ઉપયોગ કરે છે. જો તમને તમારી છાતી અથવા પેટમાં ગેસ બનવાને કારણે દુખાવો અને બળતરા થતી હોય તો તમે એલચીનું સેવન કરી શકો છો. આ માટે તમે એલચીનું પાણી પી શકો છો. તમે એક ગ્લાસ પાણીમાં એલચીને ઉકાળો અને આ પાણીને ગાળીને પી લો. આના કારણે તમારી છાતી અને પેટમાં રહેલો ગેસ સરળતાથી બહાર નીકળી જશે અને તમને ઘણી રાહત મળશે.
2 વરિયાળી
એલચીની જેમ વરિયાળી પણ સારી માનવમાં આવે છે. પાચન જાળવવામાં મદદ કરે છે. જો તમને છાતીમાં બળતરા કે દુખાવો થતો હોય તેમજ ગેસ પણ નીકળતો હોય તો તમે વરિયાળીનું સેવન કરી શકો છો. વરિયાળીનું સેવન કરવાથી છાતી અને પેટમાંથી ગેસ સરળતાથી દૂર થાય છે. તમે વરિયાળીનું પાણી, ચા અને ઉકાળો બનાવીને પી શકો છો. આ સાથે વરિયાળીને ચાવીને પણ ખાઈ શકાય છે.