ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય શતરંજનો ખેલ જામી રહ્યો છે. એવામાં રાજ્યમાં 2012થી કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી થવી એ સિલસિલો યથાવતપણે ચાલી રહ્યો છે. અત્યારસુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના 2 દિગ્ગ્જ નેતા 17મીએ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ કેસરીયો કરવા જઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર પણ ભાજપમાં જોડાશે. ભાજપે અંદરખાને સિક્રેટ ઓપરેશન પાર પાડ્યું છે.
કોંગ્રેસના કયા કયા નેતાનું ભાજપ ગમન
- વિઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા.
- લીલાધર વાઘેલા 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. લીલાધર વાઘેલા પાટણના સાંસદ પણ ભાજપમાંથી બન્યા.
- પરબત પટેલ 2012મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. પરબત પટેલ રાજયકક્ષાના મંત્રી બન્યા કે જેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે.
- પરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે.
- દેવુંસિંહ ચૌહાણ 2007મા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયમંત્રી છે.
- રામસિંહ પરમાર 2017મા ભાજપમાં જોડાયા. હાલ રામસિંહ પરમાર અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
- કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી બન્યા.
- રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.
- જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપ માં આવ્યા અને પેટા ચૂંટણી જીત મેળવી રૂપાણી સરકારમાં મંત્રી બન્યા.
- રાજ્ય સભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા.
- કમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના MLA બન્યાં અને 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યા.
- બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
- જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. તે ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરીયો કરી લીધો છે.