આપણે ઘણીવાર ભોજનમાં સ્વાદિષ્ટ ચણાનો આનંદ માણ્યો હશે. પરંતુ તેનાં પોષણથી અજાણ હોઈશું. ચણાને ગાર્બેંઝો બિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબરથી ભરપુર હોય છે. ચણાનો એક કપ એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે.
બ્લડ પ્રેશર નિયમનમાં મદદરૂપ
ચણા બ્લડ પ્રેશર કંટ્રોલ માટે લાભકારક છે. હાઈ બ્લડ પ્રેશર રોજિંદા અને પૂરતા પ્રમાણમાં પોટેશિયમના સેવનથી મેનેજ કરી શકાય છે, જે લગભગ ૪૭૦૦ મિલિગ્રામ જેટલું છે. ચણાના એક કપમાંથી તમને ૪૭૪ મિલિગ્રામ પોટેશિયમ મળે છે.
હૃદયનું આરોગ્ય સુધારવામાં અસરકારક
ચણાનો બીજો ફાયદો એ છે કે તેનાં સેવનથી તમારા હ્રદયને પર્યાપ્ત પોષણ આપી શકો છો. જેમ કે તે સેલેનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી, ફાઇબર, આયર્નથી ભરેલું છે. ચણા તમારા હૃદયનાં જોખમોની આપમેળે કાળજી લે છે, ઉપરાંત તે કોલેસ્ટરોલ ઘટાડે છે.
બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે
ડાયાબિટીસના વધઘટને નિયંત્રણમાં રાખવા માટે ચણા ખૂબ મહત્વના છે. એક કપ ચણામાં ૧૨.૫ ગ્રામ ફાઈબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેના ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછા હોવાને કારણે અને સ્ટાર્ચ એમાયલોઝની હાજરીને લીધે શરીર ચણાને ધીમે ધીમે શોષીને પચાવે છે. આમ, તે લોહીમાં ઇન્સ્યુલિન સ્પાઇક્સ અટકાવે છે.
હાડકાંનાં સ્વાસ્થ્ય અને હિમોગ્લોબિનને વધારે છે
આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, એ, ઈ, ફોલેટ, એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત હોવાને કારણે, ચણા હાડકાની જાળવણીમાં મોટું યોગદાન આપે છે અને શરીરની આયર્ન શોષણ ક્ષમતામાં વધારો કરે છે. તેથી, ચણાનાં સેવનથી હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે.
પાચન પણ સુધારે છે
ચણામાં રેફિનોઝ નામક દ્રાવ્ય આહાર ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયામાં આંતરડાને મદદ કરે છે. તે પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. એકંદરે આંતરડાંની તંદુરસ્તી મેળવવા માટે તેના ફાયદાઓનો પૂર્ણ રીતે ફાયદો