દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
છેલ્લા એક કલાકમાં ૨૧ % વોટ વધતાં પરિણામો બદલાઈ શકે છે? AMIM અને આમ આદમી પાર્ટીથી શું કોગ્રેંસને ફાયદો? વાંચો અહેવાલ…..

છેલ્લા એક કલાક માં ૨૧% વોટ વધતાં દર સેકન્ડે ૩૬ થી ૩૭ % વોટ આ ઘણું બઘી શંકાઓ પેદા કરે છે. જ્યાં બૂથ મથક ઉપર સનાતો હતો અને સાંજે ૫ વાગ્યા સુધી ખુબ ઓછું મતદાન નોંધાયું હતું ત્યાં અચાનક ૨૧% વોટ વધતાં ઘણાં બધાં વોડમાં પરિણામો બદલી શકે એવા રાજકીય સંકેત લાગી રહ્યાં છે.
ભાજપે આ વખતે પેજ પ્રભારી નવી વ્યાખ્યા લખી એ ભાજપ માટે ઓછું મતદાન મોટી ચિંતાનો વિષય અને આવનાર ૨૦૨૨ માટે મોટી ચુનૌતી સાબિત થઇ શકે છે.
AMIM અને આમ આદમી થી કોગ્રેંસને ફાયદો આ એક મોટો સંકેત રાજકીય વિશ્લેષણો વચ્ચે ચર્ચાનો દોર જામ્યો છે. ઇતિહાસમાં નજર કરીએ તો ગુજરાતની રાજનીતિમાં ત્રીજો પક્ષ કોગ્રેંસને નુકશાન કરતો હોય તેવું જોવા મળિયું છે. જયારે આ વખતે ઇતિહાસ બદલતું હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેર અને ખાસ કરી લઘુમતી ધરાવતાં વિસ્તારમાં, એક બાજુ ટિકિટોની વહેંચણી કાર્યકરતાઓમાં નારાજગી, અને નેતાઓની વચ્ચે વાદ-વિવાદ અને બીજી બાજુ લઘુમતી સમાજ જે મોટા પાયે કોગ્રેંસથી નારાજ ચાલતું હતું.
આ બધાં સમીકરણો કોગ્રેંસમાં મોટું નુકશાન પોંહચાડી શકે તેવું લાગતું હતું. એવામાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતાં કોગ્રેંસને મોટું નુકશાન કરી શકે અને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બનવી શરૂઆત કરે એવું દેખાઈ રહ્યું છે. છેલ્લી ઘડી AMIM મેદાનમાં ઉતરતાં રાજકીય ચિત્ર બદલાઈ ગયું હોય તેવું રાજકીય પંડિતો માને છે.
AMIM આવાથી જે NT કોગ્રેંસ વોટ આમ આદમી પાર્ટીને મળવાનું હતું અથવા એમ કહેવાય લઘુમતી સમાજમાં જે કોગ્રેંસ પ્રત્યે નારાજગી હતી તેનો સીધો લાભ આમ આદમી પાર્ટીને બદલે AMIM અને આમ આદમી પાર્ટીમાં વેચાઈ જવાથી સીધો લાભ કોગ્રેંસને મળી શકે એવું દેખાઈ રહ્યું છે.
પૂર્વ અમદાવામાં પણ આમ આદમી પાર્ટીની સીધી લડાઈ ભાજપ જોડે હતી તેનો લાભ આ વખતે કોગ્રેંસબને મળી શકે તેવા સંકેત મળી શકે છે.
રાજકીય પંડિતો અનુસાર ભાજપને ૧૩૦ થી ૧૫૦ કોગ્રેંસ ૩૦ થી લઇ ૪૦ ની વચ્ચે આમ આદમી પાટી ૨ થી ૩ સીટ અને AMIM ને ૧ થી ૩ સીટ અને અપક્ષને ૧ થી ૨ સીટ જીતી શકે તેવું જોવા મળી રહ્યું છે.

