કોંગ્રેસ પાર્ટી આ વર્ષ ચૂનોતીઓ થી ભરેલું છે.
કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પાર્ટી ને ફરી ઊભી કરવાં માટે ભારત જોડો યાત્રા પર નીકળયા છે.
રાહુલ ગાંધી ની ઈચ્છા છે કે અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળે અને પાર્ટી ના સંગઠન ને મજબૂત કરે.
ત્યારે બીજી બાજુ અશોક ગેહલોત જે ગાંધી પરિવાર ના ખૂબ નજીક ના નેતા ગણાતા હતા પરંતુ ગેહલોત એ ગાંધી પરિવાર નો વિશ્વાસ તોડયો હોય તેવું દેખાઈ રહ્યું છે.
અશોક ગેહલોત ને પ્રમુખ બનવાની જાણ થતાં તેઓ ને રાજસ્થાન ના મુખ્યમંત્રી પદ પર થી મૂકત થવાની વાત કરવામાં આવી.
ત્યારે પાર્ટી ની ઈચ્છા છે કે આગામી રાજસ્થાન ના મુખ્યમંત્રી સચિન પાયલોટ બને .
સચિન પાયલોટ એક યુવા અને મજબૂત નેતા છે તેના નેતૃત્વ માં રાજસ્થાન વધારે મજબૂત બની સકે તેમ છે.
પરંતુ ગેહલોત ગુટ તે નથી ઇચ્છતા કે સચિન પાયલોટ મુખ્યમંત્રી બને તેથી તેઓ એ વિધાયક તરીકે રાજીનામાં આપવા ની ધમકી આપી છે.
ત્યારે હવે જોવુ રહ્યું પાર્ટી પોતાના નેતૃત્વ ને બચાવસે કે રાજસ્થાન ને રાજનીતિ ના સંકટ માં થી બાર લાવશે.