આમ આદમી પાર્ટી ગુજરાત ના રાજકારણ માં ત્રીજા નંબર ના બદલે આજ કાલ પેહલા નંબર પર ચર્ચા માં ચાલી રહી che.
આમ આદમી પાર્ટી ગુજરાત નું ઇલેક્શન આ વખતે લડી લેવા કરતા જીતી લેવા ના મૂડ માં લાગી રહ્યું છે.
આમ તો વર્ષોથી ગુજરાત માં કોંગ્રેસ અને બીજેપી બને પાર્ટી નો દબદબો રહ્યો છે.
પરંતુ આ વખતે સમીકરણો બદલાયા છે આ વખત વાતાવરણ બદલાયું છે.
આ વખત આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાત ના રાજકારણ ના મેદાન માં ઉતરી ચૂકી છે તે જોતાં ગુજરાત ની જનતા નો મિજાજ આમ આદમી તરફ ધીમે ધીમે વધતો જાય છે.
શું જનતા નો આ મિજાજ ચૂંટણી ના દિવસો સુધી કાયમ રેહશે?
જો આ મિજાજ કાયમ રહ્યો તો ગુજરાત માં કોંગ્રેસ પાર્ટી એકલી નહીં પરંતુ બીજેપી માટે પણ ખૂબ આઘાત જનક હશે.
જો આમ આદમી પાર્ટી ગુજરાત નું મેદાન જીતી જાય છે તો આગામી દિવસો માં બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટી માટે વર્ચસવ નો સવાલ ઉભો થઈ શકે છે.
જ્યારે ચર્ચા નું જોર તો ત્યારે પકડે છે કે અરવિંદ કેજરીવાલ ના 2 અનમોલ રતન જેને રાજનીતિ ના માસ્ટર માઇન્ડ કેહવામાં આવે છે.
એક છે સંદિપ પાઠક અને બીજા છે રાઘવ ચઢા
બંને નેતાઓ પંજાબ અને દિલ્લી નો ગઢ જીતવા માં ખૂબ મોટું યોગદાન અને એમની રાજકીય સુજ બુજ રહી છે.
સંદિપ પાઠક ઘણા વખત થી ગુજરાત માં એક્ટીવ છે ત્યારે તેમના સાથી તેમના મીત્ર રાઘવ ચઢા પણ હવે તેમની સાથે છે.
કેહવાય છે કે આ બંને જોડી જેતે રાજ્ય માં કદમ મૂકે છે અને પોતાની તાકાત થી કામ કરવાનું શરૂ કરે છે ત્યાં કોઈ દિવસ તેમને નિષ્ફળતા મળી નથી.
ત્યારે હવે અરવિંદ કેજરીવાલ આ બંને જોડી ને ગુજરાત ની જનતા સમક્ષ મુકી છે ત્યારે હવે જોવા નું રહ્યું કે બંને જોડી બીજા રાજ્યો ની જેમ શું ગુજરાત માં પણ સફળ થાય છે કે ગુજરાત ના ઓલ ટાઈમ ચાણક્ય અમિત શાહ ની સામે તેમની રાજનીતિ ટૂંકી પડે છે .
ત્યારે હવે સમય બતાવસે આમ આદમી ના ચાણક્ય કે બીજેપી ના ચાણક્ય નો ગુજરાત માં વિજય થાય છે.
અને હા કોંગ્રેસ ના ચાણક્ય નહીં પરંતુ જાદુગર અશોક ગેહલોત પણ મેદાન માં છે તેમને પણ ભૂલસો નહીં..
નમસ્કાર..